સમ્યગ જ્ઞાનશાળાની શરૂઆત ભાવનગર ભક્તિબાગ સ્થાનકવાસી જૈન સંધ ભાવગનરમાં તા-૦૭-૧૨-૨૦૧૪ ના રોજ બા.બ્ર.પ.પૂ. ગચ્છાધિપતિ ગુરુભગવંત સરદારમુની મહારાજ સાહેબની નિશ્રામાં શરૂ કરવામાં આવી હતી..
વિધાર્થીઓના વય જુથ :
વિનય જુનિયરઃ ૪ થી ૬ વર્ષ
વિનય સિનિયર: ૭ થી ૯ વર્ષ
વિવેકઃ ૧૦ થી ૧૨ વર્ષ
વિરક્તઃ ૧૩ થી ૧૫ વર્ષ
વિતરાગઃ ૧૬ કે તેથી વધુ વર્ષ
સાત વર્ષની ઉમરે વિનય સિનિયર ગૃપમાં અભ્યાસ કરતો બાળક ૧૫ મા વર્ષે, દરેક ગૃપમાં ૩ વર્ષનો અભ્યાસ કરી ૯ વર્ષનો કોર્સ પૂરો કરી શકે તે રીતે કોર્સ ડીઝાઈન કરવામાં આવ્યો છે. કોર્સ ડીઝાઈન કરતી વખતે જીવન ઉપયોગી તત્વ શાન, સંસ્કાર સાન, સ્ટોરી અને એક્ટિવિટિ જેવા વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. આમાં વર્ષમાં બે સેમ હોય છે તે સેમ વાઈઝ ટુડન્ટને ભણાવવામાં આવે તે દરેક સેમ પહેલા દરેક ટિચરો જે સેમમાં બાળકોને ભણાવવાના હોય તેની ઓપનબુક એક્ઝામ આપે છે.
બાળકોનું હાજરી, એક્ટિવિટિ શીટ, સેમ એક્ઝામ ના આધારે મુલ્યાંકન કરવામાં આવે છે. બાળકોને ભણવામાં સરળતા રહે તે માટે ગુજરાતી-હિન્દી ઈંગ્લિશમાં સાહિત્ય આપવામાં આવે છે.
સેમ દરમ્યાન સામાયિક, સામાયિક અર્થ, પ્રતિકરમણના ૧૨ વ્રત, પ્રતિક્રમણ, પ્રતિક્રમણ અર્થ, ૯૯ અતિચાર અર્થ,ગુરુદેવ રચિત પ સ્તવન જેવા વિવિધ તબક્કામાં અપૂર્વ આરાધના મૌખિક પરીક્ષા લેવામાં આવે છે.
જ્યારથી આ સમ્યગ શાનશાળા ચાલુ થઈ છે ત્યારથી તેને સમગ્ર ગુજરાતમાંથી ધ્ર સારો પ્રતિસાદ મળ્યો છે, હાલમાં સમગ્ર ગુજરાતના કુલ-૨૭ સેન્ટરોમાં આ સમ્યગ શઞાનશાળા ચાલી રહી છે, જેમકે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ખંભાત, બોરસદ, બરવાળા, ગોધરા, ગાંધીનગર જેવા અનેક શહેરોમાં બહુ જ સારી સંખ્યામાં આ સમ્યગ શાનશાળા ચાલી રહી છે. જેમા ટિચર્સ અને કો-ઓર્ડિનેટર થઈને કુલ-૩૯૦ ની સંખ્યા હાલમાં છે અને કુલ-૧૯૮૦ બાળકો સમગ્ર ગુજરાતના સેન્ટરોમાંથી સમ્યગ જ્ઞાન મેળવી રહા છે. ઉત્તરોત્તર ગુલ્રવતતાસભર શાન બાળકોને અપાય તે માટે સેંટ્લ ઓફિસ હમેશા કાર્યશીલ રહે, છે. ટિચર્સ સ્કિલ - ડેવેલપરમેટ સેમિનારનું આયોજન તા. ૧૮.૦૯.૨૨ ના રોજ કરવામાં આવું છે.
બાળકોના સર્વાગી વિકાસ અર્થે દર વર્ષે ઈવેન્ટસ, ક્વીઝ કોમ્પિટિશન અત્યાર સુધી અમદાવાદમાં ત્રણ થઈ ચુકી છે, તેમજ બાળકોને વધુ પ્રોત્સાહન મળે તે માટે બાળકોની ડ્રામા કોમ્પિટિશન (સંવાદ), વક્નત્વ સ્પર્ધા, કાફટ જેવી અનેક અવનવી ઈવેન્ટસનું આયોજન પણ કરવામાં આવે છે.
વધુમાં દર વર્ષે બાળકો જે હાલમાં જૈનશાળામાં જ્ઞાન મેળવી રહ્યા છે તેઓની એક્ઝિબિશન કમ પ્રોજેક્ટ કોમ્યિટિશનનું સફળ આયોજન પણ સેન્ટ્રલ કમિટિ લેવલે અગાઉ, અમદાવાદમાં બે થી ત્રણ વખત થઈ ચુક્યુ છે જેમાં બાલ શ્રાવકોની સુષુપ્ત શક્તિને ખીલવવાની તક મળી છે.
તેમજ બાળકોને ભલવવાની સાથે તેમને દરેક સેન્ટરોની જૈનશાળામાંથી બાળકો અને ટિચરો વર્ષમાં એક વખત વૃધ્ધાશ્રમ, ગૌશાળા, અંધજન મંડળ, પાંજરાપોળ, મૂક-બધિર શાળા વિગેરે સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવે છે, તેમજ જયાં સ્લમ વિસ્તાર (ુંપડપક્ી)માં ગરીબોના બાળકોને જૈન શાળાના બાળકોના હાથે ભોજન કરાવવામાં આવે છે. જેથી તેને મોટા થઈને અનુકંપા / દાન કરવાની ભાવના થાય અને તેમના મા-બાપ ઘરડા થાય છે તેમને વૃધ્ધાશ્રમમાં ન મોકલે તેની સમજણ દરેક બાળકોને આપવામાં આવે છે અને ભવિષ્યનો સુશ્રાવક બની જૈન શાસનની ધૂરા સંભાળે અને સંયમના પંથે પ્રયાણ કરે તેવો નમ્ર પ્રયાસ છે.